સમગ્ર દેશ માં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠામાં 80 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બનાસનાં કોરોનાનો બેકાબુ કહેર વરસી રહ્યો હોવાનાં કારણે બનાસકાંઠાના મોટા ભાગના તાલુકા અને ગામડામાં સ્વંયમ ભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન અમલી કરી દેવાયું છે.
બનાસનાં દાંતા તાલુકામાં પણ 3 કોરોના પોઝિટિવ કેસ આવતાની સાથે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગઈ કાલે અંબાજી ગ્રામપંચાયત અને અંબાજી પી. આઈ. ની અધ્યક્ષતામાં મિટિંગ કરી અને અંબાજીના વેપારીઓની સહમતી થી અગમચેતીના ભાગ રૂપે અંબાજીના બઝારોની તમામ દુકાન સ્વંયમ ભૂ રીતે જ સમજીને બંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય 17 મેં સુધી યથાવત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન