બ્રિટનના વડા પ્રધાન બોરીસ જ્હોનસનને કોરોના વાયરસથી રિકવરી થતાં રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ આ માહિતી આપી છે. બ્રિટિશ વડા પ્રધાન છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
ગયા રવિવારે, 55 વર્ષીય જ્હોનસનને કોરોના વાયરસથી ચેપ લાગ્યાના 10 દિવસ પછી, લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ત્રણ દિવસ આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા અને હાલત સ્થિર થતાં ગુરુવારે તેને વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે જ્યાં સુધી વડા પ્રધાન સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના નિવાસ સ્થાને રહેશે. તેમની તબીબી ટીમની સલાહ મુજબ વડા પ્રધાન તાત્કાલિક કામ પર પાછા ફરશે નહીં. તેમણે સેન્ટ થોમસ ખાતે મળેલી શાનદાર સારવાર માટે દરેકનો આભાર માન્યો હતો.
તે જ સમયે, વડા પ્રધાનની મંગેતર કેરી સાયમન્ડ્સે ટ્વિટર પર કહ્યું કે તમારા બધા લોકોનો આભાર કે જેમણે આ મુશ્કેલ સમયમાં આવા સપોર્ટ સંદેશા મોકલ્યા છે. આજે હું અતિ નસીબદાર અનુભવું છું.
મંતવ્ય ન્યૂઝ‘ તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ–દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો “મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને , ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.