Not Set/ મેક્સિકોનાં વ્યસન મુક્ત કેન્દ્ર પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, 24 લોકોનાં મોત, અનેકો ઘાયલ

મેક્સિકોનાં એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 24 લોકો માર્યા ગયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, કેન્દ્ર નોંધાયેલ પણ નથી. ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો. ઘાયલ થયેલા સાતમાંથી ત્રણની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે હુમલાખોરોએ કેન્દ્રમાં રહેલા દરેકને નિશાન […]

World
6cf9429139a5c244d6aade7703e249f8 મેક્સિકોનાં વ્યસન મુક્ત કેન્દ્ર પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, 24 લોકોનાં મોત, અનેકો ઘાયલ

મેક્સિકોનાં એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 24 લોકો માર્યા ગયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, કેન્દ્ર નોંધાયેલ પણ નથી. ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો. ઘાયલ થયેલા સાતમાંથી ત્રણની હાલત ગંભીર છે.

પોલીસે જણાવ્યું કે હુમલાખોરોએ કેન્દ્રમાં રહેલા દરેકને નિશાન બનાવ્યા હતા. કોઈનું અપહરણ કરવામાં આવ્યું નથી. ગોળીબારનાં કારણ અંગે હજી સુધી જાણકારી મળી શકી નથી, પરંતુ રાજ્યપાલ ડિગો સિન્હુઇએ કહ્યું કે એવું લાગે છે કે ડ્રગની દાણચોરી કરનારી ગેંગ તેમાં શામેલ છે.

આ પહેલા શુક્રવારે મેક્સિકોનાં સલ્માન્કા શહેરમાં ફાયરિંગ થયુ હતુ, જેમાં 5 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ કેટલાક હુમલાખોરોએ સલ્માન્કામાં પ્રવેશ કર્યો હતો અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઓગસ્ટમાં, 9 લોકો મિચોઆકેનમાં પુલ પરથી લટકાવેલા મળી આવ્યા હતા, સાથે રસ્તા પર સાત લાશ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.