મોદી સરકારે ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં બે મુખ્ય નિર્ણય લીધા હતાં. આ કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા બે મુખ્ય નિર્ણયોથી સામાન્ય પ્રજાને ફાયદો થશે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ઘર ખરીદનારાઓને મળનારા વ્યાજ પર રાહતનો સમયગાળો વધારી દિધો છે.
કેન્દ્રીય કેબિનેટ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈન્ટરેસ્ટ સબસિડીનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. પહેલાં જ્યાં આ સબસિડી 90 સેન્ટીમિટર એરીયા પર મળતી હતી. હવે આના માટે 120 સ્કવેર મીટર એરીયા સુધી નક્કી કરવામાં આવ્યો છે.
આ સાથે જ કેબિનેટ આ સ્કીમ માટે એલિજિબલ ઘરો માટે કારપેટ એરીયા પણ વધારી દિધો છે. આ સુવિધા મધ્યમ આવક ધરાવતા લોકોને ક્રેડિટ લિંક્ડ સ્કીમ હેઠળ આપવામાં આવશે.