દેશમાં સતત જે રીતે જીડીપી ઘટી રહ્યો છે તેને જોતા ભાજપ સરકાર પર સવાલ ઉઠી રહ્યાં છે. આ મુદ્દે વિશેષ નજર કરીે તો સરકારની આર્થિક નીતિને લઇ મોદી સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. બીજેપીના દિગ્ગજ નેતા અને વાજપેયી સરકારમાં નાણા મંત્રી રહેલા યશવંત સિન્હાએ એક અંગ્રેજી અખબારમાં લખેલા આર્ટિકલમાં નાણા મંત્રી અરૂણ જેટલીને આડે હાથ લીધા છે. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે, નોટબંધીએ ઘટતા જીડીપીમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. બીજેપીમાં દરેક લોકો આ સ્થિતિ સમજી રહ્યા છે પરંતુ કોઇ ખૂલીને બોલવા તૈયાર નથી.