સામાન્ય લોકો માટે સૈન્યની ફરજ પરના પ્લાનને લઇને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સેના સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે સેનામાં ત્રણ વર્ષ સેવા પૂર્ણ કરી ચૂકેલા યુવાનોને નોકરી આપવામાં તેઓ ખુશ થશે. આર્મીને મોકલેલા મેસેજમાં મહિન્દ્રાએ જણાવ્યું હતું કે મને તાજેતરમાં ભારતીય સૈન્યના ‘ટૂર ઓફ ડ્યુટી’ના પ્રસ્તાવ વિશે જાણ થઈ, જેના માટે આર્મીમાં શારીરિક રીતે ફીટ યુવાન નાગરિકોને 3 વર્ષની સેવાની જરૂર પડશે. મને લાગે છે કે તે ખૂબ સારું રહેશે. આ પછી મહિન્દ્રા ગ્રુપ તેમને નોકરી આપવાનું વિચારશે.
‘ટુર ઓફ ડ્યુટી’ દરખાસ્ત પર આર્મી હેડક્વાર્ટર દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સામાન્ય નાગરિકોને દેશની સેવા કરવાની ત્રણ વર્ષની મુદત આપવામાં આવશે. આ દરખાસ્ત ભારતીય સૈન્ય દ્વારા દેશની શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષિત કરવાના પ્રયત્નોનો એક ભાગ છે. શરૂઆતમાં, સૈન્યના પરીક્ષણ માટેના પ્રસ્તાવમાં 100 અધિકારીઓ અને 1000 માણસોને ત્રણ વર્ષના કાર્યકાળ માટે દળમાં શામેલ કરવા સૂચવવામાં આવ્યા હતા. હાલમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ટૂંકી મુદત 10 વર્ષ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટૂંક સેવા આયોગ દળનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેને યુવાનો માટે વધુ આકર્ષક બનાવવા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે. ભારતીય સેના છેલ્લા ઘણા સમયથી અધિકારીઓની અછતનો સામનો કરી રહી છે અને જલદીથી તેને દૂર કરવા માગે છે. શોર્ટ સર્વિસ કમિશનની શરૂઆત પહેલા પાંચ વર્ષના ન્યુનતમ સેવા સમયગાળાથી થઈ હતી, પરંતુ તેને વધુ આકર્ષક બનાવવા માટે તેને 10 વર્ષ સુધી લંબાવી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….