ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. તો એકબીજા સામે રાજકીય બયાનબાજી પણ થઈ રહી છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ભાજપના ઉમેદવાર બનાવવા વિનંતી કરી છે.
BJP Rajya Sabha MP Harnath Singh Yadav writes to party chief JP Nadda requesting him to consider fielding Uttar Pradesh CM Yogi Adityanath from Mathura in the upcoming Assembly elections pic.twitter.com/AUQvCBzMT0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 3, 2022
બીજેપી સાંસદે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલા પત્રમાં, તેમને આગામી વિધાનસભા ચૂંટણીમાં મથુરાથી ભાજપના ઉમેદવાર તરીકે સીએમ યોગી આદિત્યનાથને બનાવવા પર વિચાર કરવા વિનંતી કરી.