નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ચૂંટણી આયોગ દ્વારા છેવટે સમાજવાદી પાર્ટીના ચિન્હ સાયકલના વિવાદ પર પૂર્ણ વિરામ મુકાતા સાયકલનું ચિન્હ યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવને આપી દીધું છે. મુલાયમ સિંહ યાદવને હળનું ચિન્હ આપવામાં આવ્યું છે. આમ સમગ્ર સમાજવાદી પાર્ટી પર હવે અખિલેશ યાદવનું રાજ હશે. પિતા પુત્રની લડાઇણાં છેવટે જીત પુત્રની થઇ છે.
ચૂંટણી પંચે બંને પક્ષોને સાભળ્યા બાદ આ નિર્ણય લીધો છે. ચૂંટણી આયોગે આ મામલે પહેલા ચુકાદો અનામત રાખ્યો હતો. વિવાદને જોતા સાઇકલના ચિન્હને ફ્રિજ કરવા પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.