બનાસકાંઠા જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યાની વિગતો સામે આવી રહી છે. જીલ્લાનાં ડીસાના ડોલીવાસમાં રહેતા દર્દીનું કોરોનાનાં કારણે પાલનપુરમાં સારવાર દરમ્યાન મોત થયું છે. જીલ્લામાં કુલ 33 દર્દીઓના મોત થયા.
બોટાદ જિલ્લામાં પણ કોરોનાથી એકનું મોત નીપજ્યુ છે. આ કિસ્સામાં પણ બોટાદના કોરોના પોઝીટીવ દર્દીનું ભાવનગરમાં મોત થયુ હતું. મરણજનાર વ્યક્તિ બોટાદ જીલ્લાનાં ગઢડા તાલુકાના અડતાલા ગામના 83 વર્ષીય પુરુષ વૃદ્ધ ભાવનગરમાં મોત થયું. આપને જણાવી દઇએ કે, જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 7 લોકોનાં મોત નીપજ્યા છે.
બનાસ – બોટાદમાં એક- એક મોત નોંધાવાની સાથે સાથે રાજકોટમાંથી કોરોનાનાં કારણે એક સાથે 4 દર્દીના મોત નીપજ્યા છે. રાજકોટનાં આ ચાર લોકોના માત સાથે અત્યાર સુધી કોરોનાથી મૃત્યુઆંક 54થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. જો કો મોતનાં આંકડામાં અસમંજસ જોવામાં આવે છે કારણે કે, સ્પષ્ટ આંકડો આરોગ્ય વિભાગે જાહેર નથી કર્યો. પરતું સામે આવતા આંકડા પ્રમાણે શહેરમાં કોરોનાના 613 અને ગ્રામ્યમાં 404 કેસ નોંધવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં કોરોનાનાં કુલ 1017 કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….