સૌરાષ્ટ્રનાં તલાટીમંત્રીઓ આજે આંદોલનનાં માર્ગે હોવાની જાણકારી સામે આવી રહી છે. જી હા, રાજકોટ ખાતે તલાટીઓ આજે કામથી અળગા રહેશે. કોઇ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર બદલી કરી દેવામાં આવતા તલાટીઓ નારાજ જોવામાં આવી રહ્યા છે અને તલાટીઓએ DDOને પત્ર લખી નારાજગી વ્યક્ત કરવાની સાથે સાથે ડિઝાસ્ટર અને કોરોના સિવાયની કામગીરી નહીં કરે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, તલાટીઓએ બદલી રદ કરવા અગાઉ પણ રજૂઆતો કરી હતી, પરંતુ રજૂઆત પર કોઇ પગલા લેવામાં ન આવતા આજે કામકાજથી અળગા રહી પોતાની નારાજગી સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરતા કામથી અળગા રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….