રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડનો મહત્વનો નિર્ણય. બેડી માર્કેટીંગ યાર્ડ 1 થી 15 તારીખ સુધી બંધ નહીં રહે. જી હા, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ગર્વનીંગ બોડી દ્વારા ખેડૂતો અને મજૂરોના હિતને ધ્યાનમાં રાખી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા કોરોનાનાં વધતા કહેરને ધ્યાનમાં રાખી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતા.
રાજકોટ બેડી માર્કેટ યાર્ડ હવે 10 થી 15 ઓગસ્ટ સુધી જ બંધ રહેશે એટલે કે હવે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ માત્ર પાંચ દિવસ જ બંધ રહેશે જે પહેલા 15 દિવસ માટે બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારને લઈ અને સાથે જ ખેડૂતો અને મજૂરોના હિતને ધ્યાનમાં રાખી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાએ તમામ લોકોનાં બજેટમાં ઉથલ પાથલ કરી નાખી છે, ત્યારે તહેવારો પહેલાં ખેડૂતોનાં પોતાની આર્થિક સ્થિતિ સ્થિર કરવામાં મદદ રહે અને ખેડૂતો માલ વેચી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….