રાજકોટ મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે અને ખુદ ભાજપનાં જ નેતા એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે રાજકોટ મનપાની ગંભીર બેદરકારીનું ભોપાળુ છતું કર્યુ છે. જી હા, મનપા દ્વારા બનાવાયેલા આવાસો લાભાર્થીઓને ફાળવાયા નહી હોવાની રાજકોટ મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. મનપા દ્વારા વર્ષ 2010 માં આવાસ બનાવવામાં આવ્યા હતા. 360 આવાસો હજુ સુધી લાભાર્થીઓને ફાળવાયા નથી.
લોકોને ઘરનું ઘર મળે તે માટે મસમોટી જાહેરાતો કરાય છે. 10 વર્ષ સુધી તૈયાર થયેલા આવાસોની ફાળવણી નથી કરાઈ. 360 આવાસોને મેન્ટનન્સ કરવા માટે દરખાસ્ત આવી હતી. સ્ટેન્ડિંગ કમિટિમાં અરજન્ટ દરખાસ્ત આવતા ભોપાળુ બહાર આવ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટિએ દરખાસ્ત નામંજુર કરી છે અને અત્યાર સુધી આવાસ ન ફાળવવા બાબતે જવાબદારો પાસેથી જવાબ પણ માંગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….