ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમને ભાજપના ચાણક્ય પણ કહેવામાં આવે છે. હાલ ભારતીય રાજનીતિમાં પોતાની રણનીતિઓથી વિરોધીઓને હંફાવી દેનાર અમિત શાહ હવે લેખક બની રહ્યા છે, અમિત શાહ ઈતિહાસને લઈને પુસ્તક લખશે.
તેમનો વિષય મરાઠા ઈતિહાસ અને મહારાણા પ્રતાપ શિવાજી સાથે જોડાયેલો રહેશે. ગુજરાતના રહેવાસી અમિત શાહ આખરે મરાઠા ઈતિહાસ પર જ કેમ લખવા માંગે છે. કે ગુજરાતીઓને મરાઠાના ઈતિહાસમાં વધુ જાણકારી નથી.
અમિત શાહ પુસ્તકને ગુજરાતી ભાષામાં લખશે . ગુજરાતીઓને મરાઠા ઈતિહાસ સાથે જોડાયેલી સુરત લૂંટ વિશે ખબર તો છે, પણ તેઓ વિસ્તારથી વધુ જાણતા નથી, ખુદ અમિત શાહ પણ આ જિજ્ઞાસાને શાંત કરવા માટે મરાઠા ઈતિહાસ પર પુસ્તક લખી રહ્યાં છે.
આગામી વિધાનસભા ઈલેક્શન અને 2019માં લોકસભા ઈલેક્શનની તૈયારીઓમા લાગેલ શાહ હાલ બહુ જ વ્યસ્ત છે. અમિત શાહનુ આ પુસ્તક બજારમાં જરૂર જોવા મળશે, પરંતુ તે 2019ના બાદ જ સંભવ છે.