રાજસ્થાનના જયપુરની એક સરકારી આવાસીય યોજના માટે ખેતીની જમીન અધિગ્રહણને લઈને ખેડૂતોમાં રોષ છે. આ આંદોલનની આગેવાની સંઘર્ષ સમિતિ સંયોજક નગેન્દ્ર સિંહ કરી રહ્યા છે. તેઓએ સરકારના પ્રધાનોથી માંડીને મુખ્યપ્રધાન સુધી તમામને રજૂઆત કરી. પરંતુ હજુ સુધી પરિણામ આવ્યું નથી.
ખેડૂતોએ અનોખી રીતે વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતોએ તંત્ર સામે અનોખો સત્યાગ્રહ શરૂ કર્યો છે અને તેઓ ખાડામાં બેસી ગયા છે.
ત્યારે ખેડૂતોએ ગરદન સુધીના ખાડા બનાવી તેમા ઉભા રહીને સત્યાગ્રહ શરૂ કર્યો. 22 જેટલા ખેડૂતો આ સત્યાગ્રહમાં જોડાયા છે.