વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના લોકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળશે તેની ચર્ચા કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશભરનાં મુખ્યમંત્રીઓ સાથેની મુલાકાતનાં એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે રવિવારે સ્પષ્ટ કર્યું હતું કે, કન્ટેનમેન્ટ ઝોનમાં માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે અને કોરોના ચેપવાળા વિસ્તારોને સ્પષ્ટ રીતે ઘેરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તેમને કોઈ પણ દેશવ્યાપી છૂટ ન હોવી જોઈએ નહીં તો ત્યાં અરાજકતાની સ્થિતિ ઉભી થશે.
Prime Minister Narendra Modi’s 5th video conference meeting with Chief Ministers, begins. #COVID19 pic.twitter.com/OWriGpL8VC
— ANI (@ANI) May 11, 2020