Not Set/ લોકડાઉન દરમિયાન ડિપ્રેશન સામે લડી રહ્યો હતો ‘કસૌટી જિંદગી કી-2’  એક્ટર પાર્થ સમથાન

સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કર્યા બાદ હવે દરેક જણ ડિપ્રેશનને લઈને ખુલીને વાત કરી રહ્યા છે. બોલીવૂડના ઘણા સ્ટાર્સ તેમના ડિપ્રેશનને લઈને સોશિયલ મીડિયા પર બોલી ચુક્યા છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા તેમના ડિપ્રેશનને લઈને બોલી ચુકી છે. હવે ટીવીનો ચોકલેટ બોય પાર્થ સમથાને પણ તેના ડિપ્રેશન વિશે સોશિયલ મીડિયા પર […]

Uncategorized
074463992af85240b2e33674ebf2e0e8 લોકડાઉન દરમિયાન ડિપ્રેશન સામે લડી રહ્યો હતો 'કસૌટી જિંદગી કી-2'  એક્ટર પાર્થ સમથાન

સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કર્યા બાદ હવે દરેક જણ ડિપ્રેશનને લઈને ખુલીને વાત કરી રહ્યા છે. બોલીવૂડના ઘણા સ્ટાર્સ તેમના ડિપ્રેશનને લઈને સોશિયલ મીડિયા પર બોલી ચુક્યા છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા તેમના ડિપ્રેશનને લઈને બોલી ચુકી છે. હવે ટીવીનો ચોકલેટ બોય પાર્થ સમથાને પણ તેના ડિપ્રેશન વિશે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે.    

કોરોના વાયરસને પગલે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે, ઘણા લોકોને ડિપ્રેશન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ટીવી શો ‘કસૌટી જિંદગી કી’ અભિનેતા પાર્થ સમથાન પણ આમાં સામેલ છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતનો ખુલાસો કરતાં તેણે લખ્યું, “હા, લોકડાઉન દરમિયાન ડિપ્રેશન અને દુખની ક્ષણો આવી હતી, પરંતુ તે ક્ષણો જ અમને મજબૂત બનાવે છે અને અમને આગળ વધવામાં મદદ કરે છે, જેથી એક દિવસ જ્યારે આ મહામારી સમાપ્ત થઇ જશે, ત્યારે  અમે ફરીથી આ વિશ્વનો સામનો કરવા માટે તૈયાર છીએ.

આપને જણાવી દઈએ કે પાર્થ થોડા દિવસો પહેલા ચર્ચામાં આવ્યો હતો જ્યારે નિર્માતા વિકાસ ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે તે માનસિક ત્રાસ આપી રહ્યો છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો પાર્થ સમથાન એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ કસૌટી જિંદગી કી 2 માં અનુરાગ બાસુના પાત્રમાં જોવા મળે છે. શોમાં અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પ્રેરણાની ભૂમિકા નિભાવી રહી છે. શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં આ શો ટેલિકાસ્ટ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.