કર્ણાટકનાં ચિકબલ્લાપુરમાં 65 વર્ષિય વ્યક્તિનું મોત કોવિડ-19 ને કારણે થયું છે અને આ સાથે કર્ણાટકમાં મોતની સંખ્યા 12 થઈ ગઈ છે. કેસો વધીને 279 થયા છે. કોરોના વાયરસનાં આ ચેપનાં ફેલાવાને રોકવા માટે દેશભરમાં લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
દુનિયાભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને રસ્તાઓ, બજારો, શોપિંગ મોલ્સ, ઓફિસો, બધું જ બંધ પડ્યા છે. દરેકને ઘરે રહેવાની ફરજ પાડવામાં આવી છે. પરંતુ આ મજબૂરી હવે જરૂરી બની ગઈ છે. આ પ્રથમ રસ્તો છે જે સદીનાં આ સૌથી મોટા સંકટથી વિશ્વને બચાવી શકે છે. પરંતુ કર્ણાટકનાં રાજ્યોમાં લોકડાઉન દરમિયાન આટલી કડકતા હોવા છતાં, લોકઆઉન વચ્ચે ગઈ કાલે મોટી સંખ્યામાં લોકો કલાપુર જિલ્લાનાં ચિતાપુરમાં ધાર્મિક મહોત્સવમાં જોડાયા હતા. એસ.પી. કાલાબુરાગીએ જણાવ્યું હતું કે, આજે સવારે 6.30 વાગ્યે, 100-150 લોકો 20 મિનિટ માટે સિધ્ધિલિંગેશ્વર મંદિર નજીક આવ્યા હતા અને રથ ખેંચીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને 20 સામે નામાંકિત રિપોર્ટ નોંધવામાં આવી છે અને અન્યની ઓળખ કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમ્યાન આટલી મોટી ભીડ એકત્ર કરવા બદલ એક સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
#Karnataka: People in large numbers today participated in a religious festival in Chitapur, Kalaburagi district, amid lockdown to contain COVId19 transmission pic.twitter.com/4AMr2Exj16
— ANI (@ANI) April 16, 2020
કર્ણાટકનાં 19 નવા કેસોમાં મૈસુરુનાં નંજાનાગુડુમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીનાં નવ કર્મચારી અને બગલકોટ જિલ્લામાં મુધોલનાં મદરસા ખાતે ફરજ પર તૈનાત એક પોલીસ કર્મચારી શામેલ છે. વળી અગાઉ ચેપ લાગેલ વ્યક્તિનાં સંપર્કમાં ચાર લોકો આવ્યા હતા, બે લોકોને ગંભીર શ્વાસ સંક્રમણની ફરિયાદ હતી અને એક વ્યક્તિને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.