કોરોના વાયરસને પહોંચી વળવા માટે દેશમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન 5.0 1 જૂનથી 30 જૂન સુધી રહેશે. જો કે, લોકડાઉન ત્રણ જુદા જુદા તબક્કામાં ખુલશે. કન્ટોનમેન્ટ ઝોનની બહાર સરકારે તબક્કાવાર રીતે છૂટ આપી છે. લોકડાઉનનાં પાંચમા તબક્કામાં હોટલ, રેસ્ટોરન્ટ, સલુન્સ અને ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. વળી, લોકો હવે એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકશે. આ માટે કર્ફ્યુ પાસ કે કોઈ પણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.
ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ પ્રમાણે, એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકો અને માલની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આવી હિલચાલ માટે અલગથી પરવાનગીની જરૂર રહેશે નહીં. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે, પરંતુ સામાજિક અંતરને અનુસરવું પડશે. જો રાજ્યોને તે લાગે, તો તેઓ પ્રતિબંધો લાદી શકે છે, જેની તેઓ અગાઉથી માહિતી આપશે.
લોકડાઉન 4.0 સુધી લોકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે ડીએમની પરવાનગી લેવી પડતી હતી. જો કોઈને બીજા રાજ્યમાં જવું હોય તો તેણે કર્ફ્યુ પાસ બનાવવો પડતો હતો. જો કે, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને આમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.