આમ તો છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં મેઘરાજાએ લગભગ વિરામ જાહેર કર્યો હોય તેવી રીતે વરસાદનો વરતારો ઘટ્યો છે. પરંતુ નોંધાયેલા ઓછા વરસાદની વચ્ચે વલસાડનાં કપરાડામાં વીજળી પડતાં એકનું મોત નીપજ્યાની વિગતો સામે આવી રહી છે. જી હા, કપરાડાના ખુંટલી ગામનાં એક આખા પરિવાર પર વિજળી પડી હોવાની ઘટના બની છે.
પરિવાર પર વીજળી પડતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તો પત્ની અને બે બાળકો ગંભીર રીતે દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે. ત્રણે સભ્યો ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદી રાઉન્ડની શરુઆતમાં આ વર્ષે અનેક લોકો વીજળી પડવાથી મોતને ભેટ્યાનું નોંધવામાં આવ્યું હતું, તો ચોમાસાના અંતિમ રાઉન્ડમાં પણ વીજળી પડવાની આ ઘટના સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….