નવી દિલ્હીઃ 8 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના નોટબંદીની જાહેરાત સાથે બજારમાં 500 અને 2000 ની નવી નોટ રજૂ કવરામાં આવી હતી. વિમૂદ્રીકરણની જાહેરાત મુજબ કાળાનણાં પર નિયંત્રણ માટે જુની 1000 ની નોટ પર બેન મુકી દીધો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એવો સમાચાર વહેતા થયા હતા કે, સરકાર નવી 1000 ની નોટ લોંચ કરવા જઇ રહી છે. આ અંગે ખુલાસો કરતા આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે આજે ટ્વીટર પર આ અંગે ઇન્કાર કર્યો હતો.
ટ્વીટર પર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સરકારનું ફોક્સ 500 રૂપિયાની નોટો વધુ માત્રામાં છાપીવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દાસે કહ્યું હતું કે, એટીએમમાં નાણાંની કમીને અમે દૂર કરી રહ્યા છીએ. તેમણે અપિલ કરતા જણાવ્યું હતું કે, લોકો જરૂરીયાત મુજબ પૈસા કાઢે વધારે માત્રામાં પૈસા ના કાઢે, તેનાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.