સાંઇબાબા સંસ્થાન વિશ્વસ્ત વ્યવસ્થા શિરડી દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે આવેલ મેદાનમાં ત્રણ દિવસ માટે સાંઇપાદુકા દર્શન વિના મુલ્યે મૂકવામાં આવી છે. જેને જોવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભક્તો સાંઈબાબાની ચરણ પાદુકાનાં દર્શન કરી શકે તે હેતુથી ત્રણ દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દર્શનાર્થે મૂકવામાં આવી છે. સાપુતારાથી 500 બાઇકચાલકો રેલી સાથે આ પાદુકા સુરત લાવ્યાં હતા.
સાંઈબાબાએ 1918માં સમાધિ લીધી હતી. અત્યારે 2018માં 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સમાધિ શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે. બાબાની ચરણ પાદુકા 3 જાન્યુઆરીએ 500 બાઇક સાથે સાપુતારાથી સુરત લાવવામાં આવી છે. ત્રણ દિવસ દરરોજ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ભક્તો નિ:શુલ્ક પાદુકાનાં દર્શન કરી શકે છે.
ભક્તોને અગવડતા ન પડે તે માટે સંસ્થાના 500 સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી દર વર્ષે લાખો લોકો શિરડી સાંઈબાબાનાં દર્શન કરવા માટે જતા હોય છે. લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને પહેલી વખત સાંઈબાબાની પાદુકા શિરડીથી સુરત લાવવામાં આવી છે.