ગાંધીનગર જીલ્લાના સાંતેજ ખાતે એક ફેકટરીના શેડના કામકાજમાં 5 શ્રમિકોના વીજકરંટ લગતા ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જેમાં 5 શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જયારે અન્ય ત્રણ શ્રમિકોને ગંભીર રીતે દાઝી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી કંપની ઓમ ફાઈબર ગ્લાસના શેડનું કામકાજ ચાલી રહ્યું હતું. જે દરમિયાન ત્યાં કાર્યરત શ્રમિકો મોટી લોખંડની સીડી લઈને જતા હતા. અને ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજવાયરને અડી જતાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત થયા. જે મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી છે.
દુર્ઘટનામાં 5 શ્રમિકોના મોત
કાર્તિક બીસે(ઉ.વ.18) -અમદાવાદ
મહેશ વશરામભાઈ ફુલેરા(ઉ.વ.35) -અમદાવાદ
ભાવુજી ઠાકોર(ઉ.વ.32) -અમદાવાદ
પંકજ હિંમતભાઈ વાલીયા(ઉ.વ.35) -અમદાવાદ
બજરંગીરાય નારાયણરાય(ઉ.વ.25) -ઝારખંડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.