બાનાસકાંઠાઃ વિવાદાસ્પદ સાધ્વી પર અત્યાર સુધીમાં 5 અલગ અલગી ગુના હેઠળ ફરિયાદ નોધવામાં આવી છે. જે મુબજ પાલનપુરના પશ્ચિમ પોલીસસ્ટેશનમાં સાધ્વી સામે 2 કિલો 400 ગ્રામના સોનાના બિસ્કીટ, ઇંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ મળીને 1 કરોડ 29 લાખની નવી ચલણી નોટો મળી આવી હતી. આ મામલે ફરિયાદ નોધાઇ હતી ત્યાર પ્રોહબીશનને લઇને બીજી ફરીયાદ, ચીરાગ રાવલની ગુમ થયાની ત્રીજી ફરિયાદ, પાલનપુરની પોલીસ મંથકે શશીકાંતે સાધ્વી દ્વારા 50 લાખની ખંડણી માંગવામાં આવી રહોવી ફરિયાદ નોધાવી હતી. વડગામમાં ભરત મેવાડાએ પૈસાના મામલે ફરિયાદ નોધાવી હતી. આમ જિલ્લીમાં સાધ્વી સામે 5 ફરિયદ નોધાઇ છે.
બનાસકાંઠાનાં વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વરધામનાં વિવાદિત સાધ્વી જયશ્રીગીરી સામે 2009માં હત્યાનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. સાધ્વી ધણા સમયથી ફરાર હતી જેના પોસ્ટર પણ શહેરમાં લગાવવામાં આવ્યા હતા.પાલનપુરનાં ન્યુ દાગીના જવેલર્સની પાંચ કરોડથી પણ વધુની છેતરપીંડીની ફરિયાદ બાદ પોલીસે સાધ્વીના ઘેર દરોડો પાડી સોનાના બે કીલો ચારસો ગ્રામના બિસ્કીટ અને એક કરોડ ઓગણત્રીસ લાખથી વધુની નવી ચલણી નોટો ઝડપી પાડી છે. આ કેશમાં સાધ્વી સહીત ત્રણ વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસે ઠગાઈ અને ધાકધમકીનો ગુનો નોધી સાધ્વીની ધરપકડ કરતા ચકચાર મચેલ છે.