ગણેશોત્સવમાં મુંબઇના લાલ બાગના રાજાના ગણપતિના દર્શન કરવાનું આગવું માહાત્મય છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે મુંબઇના લાલ બાગ ના રાજાનું શું મહત્વ છે. લાલ બાગના ગણપતીના દર્શન કરવા માટે સામાન્ય માણસથી માંડીને સેલિબ્રિટી પણ આવતા હોય છે કારણ કે સૌને એવી શ્રદ્ધા છે કે આ સિદ્ધિ વિનાયક તેમની મનોકામના જરૂર પૂર્ણ કરશે. આ વર્ષે ગણેશ ઉત્સવ મંડળ તેની સ્થાપનાના 84 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.
આ છે લાલ બાગના રાજા ગણપતિની સ્થાપનાનો ઇતિહાસ
મુંબઇના લાલબાગ પરેલ વવિસ્તારમાં બિરાજમાન ગણપતિનું આગવું માહાત્મય છે.લાલ બાગના રાજા ગણપતિ સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના વર્ષ 1934માં કરવામાં આવી હતી . 1934માં પૂર્વ પાર્ષદ કુંવરજી જેઠાભાઈ શાહ અને ડોક્ટર બી.વી કારેગાઁવકર અને સ્થાનિક નિવાસીઓને સતત પ્રયાસો અને સમર્થન બાદ માલિક રજબઅલી તય્યબઅલીએ બજારના નિર્માણ માટે જમીન આપવાનો નિર્ણય કર્યો હતો. અને મંડળને ત્યારે બનાવવામાં આવ્યું જ્યારે સ્વતંત્રતા સંઘર્ષ તેની ચરમસીમાએ હતો. લોકમાન્ય તિલકે બ્રિટિશ શાસન સામે લોકોમાં જાગૃતિ આણવા સાર્વજનિક ગણેશોત્સવને સંવાદ અને વિચાર વિર્મશનું માધ્યમ બનાવ્યો હતો. તેથી ગણેશોત્સવમાં ધાર્મિક કર્તવ્યોની સાથે સાથે સ્વંત્રતા સંગ્રામ અને સામાજિક મુદ્દાઓ ઉપર પણ વાત થતી હતી. બસ ત્યારથી લાલ બાગ ચા રાજાના દર્શનનું મહત્વ વધતુ ગયું.
લાલ બાગ ચા રાજાનું મહત્વ એટલુ બધું છે કે અહીં ગણેશજીના દર્શન કરવા માટે 6-7 કિલોમીટરલાંબ લાઇનો લાગતી હોય છે આ વર્ષે આ મંડળનો 51 લાખનો વીમો કરવામાં આવ્યો છે.
આ વર્ષે ગણેજીનો રાજમહેલ સોનેરી રંગોથી બનાવવામાં આવ્યો છે. અને આ મૂર્તિ સંતોષ કાંબલી દ્વારા તૈયાર કરવામાં આવી છે તેમજ આવનારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે 3 000 મંડળ કાર્યકરો હાજર રહે છે.
Around The Web