Not Set/ સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મનપાનો મોટો નિર્ણય, 3 પોઝિટિવ કેસ મિલ બંધ

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મનપા દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 3 થી વધુ પોઝિટિવ કેસ આવે તો જ મિલ બંધ થશે. જી હા, સુરત મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોઇ પણ મિલમાં જો 1 પોઝિટિવ કેસ સામે આવશે તો મિલનો જે તે વિભાગ બંધ કરાશે, પરંતુ જો 3 કે તેથી વધુ કેસ સામે આવ્યા તો મિલ-કારખાનું […]

Gujarat Surat

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મનપા દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 3 થી વધુ પોઝિટિવ કેસ આવે તો જ મિલ બંધ થશે. જી હા, સુરત મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોઇ પણ મિલમાં જો 1 પોઝિટિવ કેસ સામે આવશે તો મિલનો જે તે વિભાગ બંધ કરાશે, પરંતુ જો 3 કે તેથી વધુ કેસ સામે આવ્યા તો મિલ-કારખાનું બંધ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની શરુઆતનાં સમયમાં અહીં પહેલા 1 કેસમાં પણ કારખાનું બંધ કરાવાતું હતું.

આપને જણાવી દઇએ કે સુરતમાં કોરોનાનો કહેર હદ પાર કરી ગયો હોય તેવી રીતે વઘી રહ્યો છે. અને સુરતમાં ટેક્સટાઇલ માર્કટ સુપર સ્પ્રેડર બન્યું છે. કામદારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ટેક્સટાઇલ માર્કેટમાં પણ કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવશે. ટેક્સટાઇલનાં કર્મચારીઓ માટે મનપા
ટેસ્ટિંગ સેન્ટર પણ ઉભા કરવાની કવાયતમા જોવામાં આવી રહ્યું છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews