સુરતમાં અવારનવાર બની રહેલી આગની ઘટનાઓ બાદ આજે વધુ એક આગ લાગી છે. સુરતના પલસાણામાં આવેલા જોળવા ગામમાં બની રહેલી નવ નિર્મિત બિલ્ડીંગના વીજ મીટર બોક્ષમાં આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ, વીજ બોક્ષમાં શોર્ટસર્કિટ કારણે આગ લાગી હતી અને જેમાં 40 જેટલા મીટર બળીને ખાખ થયા છે. આગ લાગવાની જાન પલસાણા PEPL ના ફાયરબિગ્રેડને થતા તેઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાના સમાચાર મળ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.