મુંબઈના હીરા દલાલે ઉઠમણું કર્યાનાં માઠા અને ચિંચા જનક સમાચાર સામે આવી રહ્યા છે. એક તો કોરોનાનાં કાળમુકા ખપ્પરથી હીરા ઉદ્યોગમાં પહેલેથી જ પરેશાની જોવામાં આવી રહી છે. ત્યારે મુંબઈના હીરા દલાલે 5 કરોડથી વધુમાં ઉઠમણું થયાની ચર્ચાથી સુરતની હીરા બજારમાં સોંપો પડી ગયો હોવાનું સામે આવી રહ્યું છે.
સુરતના ઉદ્યોગકારોના પણ નાણાં ફસાયા હોવાનુ સામે આવી રહ્યું છે, સામે આવી રહેલી વિગતો મુજબ બ્રોકર મુંબઈમાં બિર્લા – કુર્લા કેમપ્લેક્ષનાં (BKC)નાં વેપારીને માલનું વેચાણ કરતો હતો. વેપારીએ આત્મહત્યા કરી લેતા બ્રોકર ફસાયો હોય અને ઉઠમણું કર્યાનું વિદિત છે.
વેપારીની આત્મહત્યાને કારણે બ્રોકરની આર્થિક સ્થિતિ કફોડી બનતા ઉઠમણું કર્યું હોવાની વિગતો સાંપડી રહી છે. કોરોના કાળની પૂર્વે જ બેસી ગયેલી મંદી અને કોરોનાનાં કારણે લોકડાઉન બાદ ઉઠમણાથી શરુઆત થતા ઉદ્યોગકારોમાં ચિંતાનું સામ્રાજ્ય છવાયું હોવાનું પ્રતિત થઇ રહ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….