સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે પ્રશાસન વિભાગ ફરી એક વખત ચિંતામાં મૂકાયાં છે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે અને રોજ બરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના 12 કેસો એકસાથે નોંધાતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આપને જણાવી દઈએ કે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં 1 કેસ કોરોના પોઝિટિવ, લખતરમાં 2 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે.જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 158 થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.