નવી દિલ્હીઃ ક્રિકેટર હરભજન સિંહ પંજાબના જલંધરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની વાતનું હરભજન સિંહ ખંડન કર્યુ છે. પંજાબમાં એવી અફવાહ ફેલાઇ હતી કે, હરભજન કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે. આ અંગે ટ્વીટર પર ખુલાસો કરતા હરભજને કહ્યું હતું કે, હાલ રાજનીતિમાં જવાનો કોઇ ઇરાદો નથી કૃપા કરીને અફવાહ ફેલાવાનું બંધ કરો.
અમરિંદર સાથે મુલાકાત બાદથી હરભજન સિંહ સતત કૉંગ્રેસના સંપર્કમાં છે. અમરિંદર સિંહે પણ કહ્યું હતું કે, હારભજન પાર્ટીમાં આવવા માંગે તો તેનું સ્વાગત છે. એવા પણ સંકેત મળ્યા હતા કે, હરભજનને લોકસભામાં ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવી શકાય છે.