રાજ્યમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત
આજે કોરોનાથી 149 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1023
અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના 30 કેસ
સુરત શહેરમાં કોરોનાના 26 કેસ
વડોદરા શહેરમાં કોરોનાના 14 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાના 04 કેસ
ગાંધીનગર શહેરમાં કોરોનાના 01 કેસ
જામનગર શહેરમાં કોરોનાના 01 કેસ
રાજ્યમાં કોરોનાના સંક્રમણના કેસમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં નવા 125 કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના કોરોનાના કારણે મુત્યુ પણ થયા છે. કોરોનાની ગતિ મંદ પડી રહીછે. પરંતુ જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમને વધુ સજાગ રહીને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં આજે કોરોનાના 149 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજયમાં સૌથી વધુ કેસની વાત આવે તો અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. અમદવાદમાં શહેરમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 26 કેસ, વડોદરા શહેરમાં કોરોનાના 4 કેસ, ગાંધીનગર શહેરમાં 1 કેસ અને જામનગરમાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે.
