Corona Update/ દેશમાં 24 કલાકમાં 15 હજાર નવા કેસ યથાવત,સાજા થયેલા દર્દીઓની સંખ્યા 17,170, રિકવરી રેટ 96.58 ટકા

દેશમાં  છેલ્લા 24 કલાકમાં 15 હજાર 144 નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા 17,170 જોવા મળી લોકોના મોત નિપજ્યા છે. તેની સાથે કુલ સંક્રમિત નો આંકડો એક 1 કરોડ

Top Stories India
1

દેશમાં  છેલ્લા 24 કલાકમાં 15 હજાર 144 નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા 17,170 જોવા મળી લોકોના મોત નિપજ્યા છે. તેની સાથે કુલ સંક્રમિત નો આંકડો એક 1 કરોડ 5 લાખ 57 હજાર કરતાં વધારે નોંધવામાં આવ્યો છે જેમાંથી 1 કરોડ 1 લાખ 96 હજાર કરતાં વધારે દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

CDC says new Covid strain in U.S. could stress 'heavily burdened' hospitals

new strein / કોરોનાના નવા સ્ટ્રેનથી ફ્રાન્સમાં હાહાકાર,70,000થી વધુ મોત, …

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશના પ્રથમ વખત સક્રિય કેસનો આંકડો કુલ સંક્રમિતોના 2 ટકા કરતાં પણ ઓછો 1.98 ટકા થયો છે. વર્તમાનમાં સક્રિય કેસ 2,08,826 નોંધવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસથી રોજિંદા 20,000 કરતા ઓછા નવા કેસ નોંધવામાં આવી રહ્યા છે. સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા દર્દીઓની વચ્ચેનું અંતર 99.88 લાખ થઈ ચૂક્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 23 દિવસોમાં દેશમાં રોજિંદા કોરોના મહામારીના કારણે મરનાર દર્દીઓની સંખ્યા 300 કરતાં નીચે જોવા મળી રહી છે.જ્યારે છેલ્લા કેટલાક દિવસથી તો મૃતકોની દૈનિક સંખ્યા 200થી નીચે નોંધવામાં આવી રહી છે.

New Strain of Corona virus discovered in the UK - BW Businessworld

Corona vaccination / દેશમાં અત્યાર સુધી 447 લોકોને રસીની આડઅસર, 1 દર્દી હોસ્પિટલમ…

દર્દીઓની સાથે થવાનો ટકાવારી 96. 58% થઈ ચૂકી છે. તેમજ મૃત્યુદર 1.44 ટકા પરજ નોંધાયેલો છે.મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં નોંધવામાં આવેલા કોરોનાવાયરસ ના નવા સ્વરૂપના કારણે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોઈ નવા સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા નથી. શનિવાર સુધી આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 116 હતી. આ તમામને તેઓના રાજ્યોમાં બનાવવામાં આવેલ કોરોના સેન્ટરમાં અલગ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

Rajkot / ચૂંટાયેલા પ્રતિનિધિ ધમકાવે તો મને ફરિયાદ કરજો, મુખ્યમંત્રીના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…