આત્મઘાતી હુમલો/ પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો થતા 2 લોકોના મોત,7થી વધુ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના પેશાવરમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. અહેવાલો અનુસાર, મંગળવારે અર્ધલશ્કરી દળના વાહન પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા.

Top Stories World
4 1 11 પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો થતા 2 લોકોના મોત,7થી વધુ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના પેશાવરમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. અહેવાલો અનુસાર, મંગળવારે અર્ધલશ્કરી દળના વાહન પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં હુમલાખોર અને એક સૈનિકનો સમાવેશ થાય છે. આ સિવાય 7 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે એક પોલીસ અધિકારીને ટાંકીને કહ્યું કે આ એક આત્મઘાતી હુમલો હતો.

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે, જે પેશાવરના હયાતાબાદ વિસ્તારમાં થયો હતો. ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. ઘટનાની માહિતી મળતાં જ બચાવ દળ અને કાયદા અમલીકરણ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ હુમલા અંગે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

તહરીક-એ-જેહાદ પાકિસ્તાને હુમલાની જવાબદારી લીધી હતી
જેહાદી જૂથ તહરીક-એ-જેહાદ પાકિસ્તાને હુમલાની જવાબદારી લીધી છે. નામ જાહેર ન કરવાની શરતે, એક ઉચ્ચ પદના અધિકારીએ રોઇટર્સને જણાવ્યું કે હુમલામાં એક સૈનિક શહીદ થયો છે. આ સાથે 7 લોકો ઘાયલ છે, જેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હયાતાબાદ મેડિકલ કોમ્પ્લેક્સના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર શહજાદ અકબર ખાને જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ બે લોકો અહીં આવ્યા છે. બંનેની હાલત સ્થિર છે. બાકીના ઈજાગ્રસ્તોને સીએમએચ નામની બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.