દેશમાં કોરોના વાયરસનો વધતો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ભારતમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા 40 લાખને વટાવી ગઈ છે. વળી 31 લાખથી વધુ કોરોના દર્દીઓ ઠીક પણ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં 68,472 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
દરમિયાન, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નાં ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી રાહત હજુ જલ્દી મળવાની નથી. તેમણે કહ્યું કે, રોગચાળો 2021 સુધી ફેલાય તેવી સંભાવના છે. આપને જણાવી દઈએ કે ડો. ગુલેરિયા કોરોના પર કેન્દ્ર સરકારની વિશેષ ટાસ્ક ફોર્સનાં પ્રમુખ સભ્ય છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કોરોનાનાં કેસોની સંખ્યા કેટલાક મહિનાઓ સુધી વધવાની શરૂ થઇ જશે. ગુલેરિયાએ કહ્યું કે, “અમે તે કહી શકતા નથી કે રોગચાળો 2021 સુધીમાં ફેલાશે, પરંતુ આપણે શું કહી શકીએ કે રોગચાળો આવતા વર્ષનાં પ્રારંભમાં સમાપ્ત થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.