નવી દિલ્હી/ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત લાવવામાં આવી 29 પ્રાચીન મૂર્તિઓ, PM મોદીએ દેશની ધરોહરને નજીકથી નિહાળી

પાછલા વર્ષમાં, ઐતિહાસિક મહત્વ ધરાવતી 200 થી વધુ પ્રાચીન મૂર્તિઓને ભારત પરત લાવવામાં આવી છે. હાલમાં જ પીએમ મોદીએ કહ્યું હતું કે 2013 સુધી માત્ર 13 મૂર્તિઓ જ ભારતમાં લાવી શકાઈ હતી, પરંતુ છેલ્લા સાત વર્ષમાં 200થી વધુ કિંમતી મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવી છે.

Top Stories India
મૂર્તિઓ

ભારત ફરી એકવાર ઐતિહાસિક મહત્વ ધરાવતી 29 પ્રતિમાઓ ઓસ્ટ્રેલિયાથી પરત લાવ્યું છે. તેમાં ભગવાન શિવ, તેમના શિષ્યો, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરા, ચિત્ર અને સુશોભન વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રાચીન વસ્તુઓ જુદા જુદા સમયની છે. તે 9-10 સદી એડી  સુધીની છે. આ મુખ્યત્વે રેતીના પથ્થર, આરસ, કાંસ્ય, પિત્તળ અને કાગળમાં કોતરવામાં આવેલા મૂર્તિઓ  અને પેટિંગ છે. આ પ્રાચીન શિલ્પો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના છે. સોમવારે પરત આવેલ મૂર્તિઓ અને પેટિંગનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું.

a 88 4 ઓસ્ટ્રેલિયાથી ભારત પરત લાવવામાં આવી 29 પ્રાચીન મૂર્તિઓ, PM મોદીએ દેશની ધરોહરને નજીકથી નિહાળી

7 વર્ષમાં 200 થી વધુ મૂર્તિઓ ભારતમાં આવી

પાછલા વર્ષમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી 200 થી વધુ પ્રાચીન મૂર્તિઓને ભારત પરત લાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ ‘મન કી બાત’માં ભારતની પ્રાચીન મૂર્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યે અમારી જવાબદારી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે 2013 સુધી માત્ર 13 મૂર્તિઓ જ ભારતમાં લાવવામાં આવી શકી હતી, પરંતુ છેલ્લા સાત વર્ષમાં 200થી વધુ કિંમતી મૂર્તિઓને સફળતા સાથે ભારત પરત લાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ મૂર્તિઓ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, હોલેન્ડ, કેનેડા, સિંગાપોર અને જર્મની જેવા દેશોમાંથી પરત લાવવામાં આવી છે. થોડા સમય પહેલા કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણાની મૂર્તિ પરત લાવવામાં આવી હતી. આ પછી 10મી સદીની દુર્લભ નટરાજની પ્રતિમાને લંડનથી રાજસ્થાન લાવવામાં આવશે. આ મૂર્તિ બરૌલીના પ્રાચીન ઘાટેશ્વર મંદિરમાંથી 1998માં ચોરાઈ હતી. હવે આ મૂર્તિને એ જ મંદિરમાં સ્થાપિત કરી શકાશે.

a 88 3 ઓસ્ટ્રેલિયાથી ભારત પરત લાવવામાં આવી 29 પ્રાચીન મૂર્તિઓ, PM મોદીએ દેશની ધરોહરને નજીકથી નિહાળી

ફેબ્રુઆરીમાં તમિલનાડુમાંથી ચોરાયેલી 500 વર્ષ જૂની પ્રતિમા ઘરે લાવ્યા

આ વર્ષે ફેબ્રુઆરીમાં, સંસ્કૃતિ પ્રધાન જી કિશન રેડ્ડીએ માહિતી આપી હતી કે એક દાયકા પહેલા તમિલનાડુમાંથી ચોરાયેલી ભગવાન હનુમાનજીની 500 વર્ષ જૂની મૂર્તિને ઘરે લાવવામાં આવી હતી. યુ.એસ. હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા પુનઃપ્રાપ્ત કરાયેલ ચોરાયેલી પ્રતિમાને 23 ફેબ્રુઆરીના રોજ યુએસ ચાર્જ ડી અફેર્સ દ્વારા કેનબેરામાં ભારતીય હાઈ કમિશનને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,549 નવા કેસ, ગઈકાલ કરતાં 12% ઓછા

આ પણ વાંચો :ખાર્કિવમાં મૃત્યુ પામેલા મેડિકલ સ્ટુડન્ટ નવીન શેખરપ્પાનું પાર્થિવ દેહ પહોંચ્યો બેંગલુરુ, CM બસવરાજે આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો :LG મનોજ સિન્હાના સલાહકાર ફારુક ખાને રાજીનામું આપ્યું,જાણો વિગત

આ પણ વાંચો :અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે પાકિસ્તાની સંસદે આ તારીખે બેઠક બોલાવી,જાણો