અકસ્માત/ મોરબીના રાજપર પાસે વીજપોલ સાથે કાર અથડાતા 3 લોકોનાં મોત

મોરબીના રાજપર નજીક કાર વીજપોલ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા મુર્તદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Top Stories Gujarat
accident 2 મોરબીના રાજપર પાસે વીજપોલ સાથે કાર અથડાતા 3 લોકોનાં મોત

મોરબીના રાજપર નજીક કાર વીજપોલ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા મુર્તદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.મોરબીના રાજપર રોડ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ભીષણ અકસ્માત થયો હતો. કાર ધડાકાભેર સાથે રોડની સાઈડ પરના વીજપોલ સાથે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયાં હતા. અકસ્માતને પગલે રાજપર રોડ પર ટ્રાફિક જામ પણ થયો હતો. રાહદારીઓ સાથે આસપાસના ગામના લોકો પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા

બનાવની મળતી વિગત મુજબ મોરબીથી ખાનપર તરફ  એસન્ટ કાર નબર જીજે.03 સી.એ. 4814 જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમવાતા રાજપર થી થોરાળા વચ્ચે આવેલ બોખરીયા હુનામાન મદિર પાસે આવેલ વીજ્પોલમાં કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર રાજેશભાઈ , મનોજભાઈ અને એક  મહિલા સહિત ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતા 108 ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી પણ સારવાર મળે તે પેહલા જ કારમાં સવાર એક મહિલા સહિત ત્રણય ના મોત થયા હતા અકસ્માત થત મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલમાં દોડી ગાય હતા