Accident/ અધેલાઇ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અમદાવાદ પરિવારના 5 લોકોના મોત

અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનું પડીકું વળી ગયું હતું. કેટલાક મૃતદેહોને ગાડીના પતરા ફાડીને બહાર કાઢવા પડ્યા હતા.

Top Stories Gujarat
4 28 અધેલાઇ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અમદાવાદ પરિવારના 5 લોકોના મોત
  • ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત
  • કાર અને ટ્રક વચ્ચે થઇ ભયંકર અથડામણ
  • કારમાં સવાર 5 લોકો બન્યા કાળનો કોળિયો
  • ભાવનગરના ભાલ વિસ્તારની અધેલાઈ ચોકડી પાસેનો બનાવ
  • અકસ્માતના પગલે વેળાવદર પોલીસ ઘટના સ્થળે

અમદાવાદ ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ-ભાવનગર હાઇવે પાસે અધેલાઇ નજીક આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કુલ 5 લોકોના મોત નિપજ્યાં હતા. ગાડીમાં બેઠેલા તમામ 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનું પડીકું વળી ગયું હતું. કેટલાક મૃતદેહોને ગાડીના પતરા ફાડીને બહાર કાઢવા પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અને 108ની ટીમ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ભાવનગરથી ઘટનાની ગંભીરતા જોતા ડોક્ટરની એક ખાસ ટીમ પણ રવાના કરવામાં આવી હતી. જો કે અકસ્માતમાં કોઇ પણ બચી શક્યું નહોતું. 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. મૃતક પૈકી 1 વ્યક્તિ મહાવીરકુમાર રતનલાલ જૈન હોવાનું સામે આવ્યું છે.