Haryana News: હરિયાણામાં મહેન્દ્રગઢ જીલ્લાના કનિના દાદરી રોડમાં આવેલ ઉન્હાની ગામ પાસે સ્કૂલ બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસને માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી આ મામલાની તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અકસ્માત ઓવરટેકિંગને કારણે થયો હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ બાળકોને રેવાડીમાં રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:શું તમારે મહાકાલેશ્વરના દર્શને જવાનું છે? તો પહેલા આ વાંચી લેજો નહીં તો હેરાન પરેશાન થઇ જશો
આ પણ વાંચો:અરૂણાચલ વિધાનસભા ચૂંટણીઃ કુલ 142થી 23 સામે ફોજદારી કેસ, 20 સામે ગંભીર ગુના
આ પણ વાંચો:અમિત શાહ આજે બિહારમાં ગર્જના કરશે, ઔરંગાબાદમાં જનસભાને સંબોધશે