Tirupati Balaji Temple/ તિરુપતિ મંદિરમાં થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

આ ઘટના તિરુપતિ વિષ્ણુ નિવાસમાં બની હતી જ્યાં ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.

Top Stories India Breaking News

Hyderabad News: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં (Tirupati Temple) બુધવારે થયેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તિરુમાલામાં (Tirumala) ભગવાન વેંકટેશ્વર મંદિરના વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન વિતરણ દરમિયાન આ ઘટના બની હતી. અહેવાલો અનુસાર, આ ઘટના તિરુપતિ વિષ્ણુ નિવાસમાં બની હતી જ્યાં ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાત્રે તિરુમાલા હિલ્સ ખાતે નાસભાગમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષના મોત થયા હતા. દરમિયાન, પોલીસ કેટલીક મહિલા શ્રદ્ધાળુઓને સીપીઆર આપી રહી હતી અને ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી હતી તેવા વીડિયો વાયરલ થયા હતા. બાદમાં સારવાર દરમિયાન અન્ય 2નાં મોત થયા છે.

મૃતકોમાંથી એકની ઓળખ મલ્લિકા તરીકે થઈ છે, જે તમિલનાડુની હોવાનું કહેવાય છે, સ્થાનિક અહેવાલો મુજબ ઘાયલ લોકોને સારવાર માટે તિરુપતિ રૂયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 10 જાન્યુઆરીથી શરૂ થતા 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શન માટે દેશભરમાંથી સેંકડો ભક્તો આવ્યા હતા.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પીએમ મોદીએ કહ્યું કે, આંધ્રપ્રદેશના તિરુપતિ (Tirupati)માં થયેલી નાસભાગથી તેઓ દુખી છે. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.

સીએમ ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું

આંધ્રપ્રદેશના CMO એ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા શ્રીવરી વૈકુંઠ (Srivari) દ્વાર પર દર્શન માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ પાસે થયેલી ભાગદોડમાં 4 શ્રદ્ધાળુઓના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો

લોકસભાના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે તિરુપતિમાં દુ:ખદ નાસભાગ અત્યંત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું તમામ ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને આ મુશ્કેલ સમયમાં શક્ય તમામ મદદ કરવા વિનંતી કરું છું.

તેના નિવેદનમાં, સીએમ ઓફિસે કહ્યું કે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ સાથે ફોન પર ઘટનામાં ઘાયલોની સારવાર વિશે વાત કરી. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે જઈને રાહતના પગલાં લેવા આદેશ આપ્યો છે જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી જનરલ હોસ્પિટલની બહાર ભારે ભીડ છે. તિરુપતિના વિષ્ણુ નિવાસમાં નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને અહીં દાખલ કરવામાં આવ્યા છે.

TTD ચેરમેનનું નિવેદન 

તિરુપતિ મંદિરમાં નાસભાગ અંગે ટીટીડી (Tirumala Tirupati Devsthanam)ના અધ્યક્ષ બીઆર નાયડુ કહે છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, 6 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી માત્ર એક જ યાત્રાળુની ઓળખ થઈ શકી છે, જ્યારે અન્યની ઓળખ થવાની બાકી છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ ઘટનાને લઈને ખૂબ જ ગંભીર છે અને ટેલીકોન્ફરન્સ દરમિયાન અધિકારીઓના મેનેજમેન્ટ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. આજે સવારે 11.45 વાગ્યે મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને મળશે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ અને આ મુદ્દા પર અપડેટ્સ પર નજીકથી નજર રાખી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તિરુપતિ બાલાજી મંદિરમાં નાસભાગ, મહિલા સહિત 4 ભક્તોના મોત, અનેક ઘાયલ

આ પણ વાંચો:તિરુપતિમાં 3 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડ્રગ રેકેટના કિંગપિનના નામે આવ્યો ઈમેલ

આ પણ વાંચો:તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રિમનો મોટા ચુકાદો; SIT કરશે તપાસ, કેન્દ્રની માગ ફગાવી