વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે ટોકન જારી કરતા પહેલા એક મોટી ઘટના બની છે. વૈકુંઠ દ્વાર દર્શન ટોકન્સની ફાળવણી ગુરુવારે વહેલી શરૂ થશે. અગાઉ નાસભાગમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા. હકીકતમાં, ટોકન સેન્ટર પર બુધવારે સાંજથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ક્રમમાં, તિરુપતિમાં વિષ્ણુના નિવાસ સ્થાને નાસભાગ જેવી સ્થિતિ ઊભી થઈ. જેમાં તમિલનાડુના સાલેમની એક મહિલા શ્રદ્ધાળુનું મોત થયું હતું. જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
10મી જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી દરમિયાન દર્શન કરાવવામાં આવશે. 9 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી આ ગેટ પરથી દર્શન ટોકન આપવામાં આવશે. આ SSD ટોકન્સ માટે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. TTD એ તિરુપતિ અને તિરુમાલા ખાતે SSD ટોકન્સ ઈશ્યૂ કરવા માટે કાઉન્ટર્સ સ્થાપ્યા છે.
#WATCH | Andhra Pradesh: Four people died in a stampede that occurred at Vishnu Nivasam in Tirupati during the distribution of Vaikunta Dwara Sarva Darshan tokens.
CM N Chandrababu Naidu spoke to officials over the phone about the treatment being provided to the injured in the… pic.twitter.com/655uJ7NEiK
— ANI (@ANI) January 8, 2025
તિરુપતિમાં 8 કેન્દ્રો પર 90 કાઉન્ટર ક્યાં ઉપલબ્ધ છે? તિરુપતિમાં ઈન્દિરા મેદાન, રામચંદ્ર પુષ્કરિણી, શ્રીનિવાસમ કોમ્પ્લેક્સ, વિષ્ણુ નિવાસમ કોમ્પ્લેક્સ, ભૂદેવી કોમ્પ્લેક્સ, ભૈરાગીપટ્ટડા રામાનાયડુ હાઈસ્કૂલ, એમઆર પલ્લી જિલ્લા પરિષદ હાઈસ્કૂલ, જીવાકોના જિલ્લા પરિષદ હાઈસ્કૂલમાં કાઉન્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સિવાય બાલાજી નગર કોમ્યુનિટી હોલમાં તિરુમાલાના રહેવાસીઓને SSD ટોકન્સ આપવામાં આવશે. 9 જાન્યુઆરીએ
સવારે 5 વાગ્યે ટોકન ઉપલબ્ધ થશે
આ કેન્દ્રો પર 10, 11 અને 12 તારીખ માટે 1.20 લાખ ટોકન ફાળવવામાં આવશે. ટીટીડીએ કહ્યું કે અન્ય દિવસોમાં ટોકન જારી કરવામાં આવશે. બુધવારે સાંજથી જ કાઉન્ટરો પર ભક્તોની ભીડ જામવા લાગી હતી. કારણ કે ગુરુવારે સવારથી જ દ્વાર દર્શન ટોકન આપવાના હતા. નાસભાગ
કેવી રીતે બની ઘટના ?
સ્થાનિક લોકો તેમજ અન્ય વિસ્તારોમાંથી શ્રીવારીના ભક્તો મોટી સંખ્યામાં કાઉન્ટર પર પહોંચ્યા હતા. વિષ્ણુધામના કાઉન્ટર પર લડાઈ થઈ હતી. જેના કારણે ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જેમાં એક મહિલા શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ટીટીડીએ પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે ટોકન વિનાના ભક્તો વૈકુંઠ દ્વાર દર્શનના દિવસોમાં શ્રીવારીના દર્શન કરી શકશે નહીં.
આ પણ વાંચો: તિરુપતિમાં ઈસ્કોન મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મંદિરની સુરક્ષા વધારાઈ
આ પણ વાંચો: તિરુપતિમાં 3 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડ્રગ રેકેટના કિંગપિનના નામે આવ્યો ઈમેલ
આ પણ વાંચો: તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રિમનો મોટા ચુકાદો; SIT કરશે તપાસ, કેન્દ્રની માગ ફગાવી
