ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 617 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,02,089 નવા કેસ નોંધાયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.56 ટકા થઇ ચુક્યો છે. આજે કોરોનાના 1,78,673 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 6736 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 53 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6683 નાગરિકો સ્ટેબલ છે. 1,202089 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10874 નાગરિકોનાં કુલ મોત થયા છે. જયારે કુલ 10 નાગરિકોનાં આજે મોત થયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 15ને પ્રથમ અને 90 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2261 ને રસીનો પ્રથમ અને 12090 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો 11641 ને પ્રથમ અને 51333 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15થી 18 વર્ષના નાગરિકો પૈકી 10382 ને પ્રથમ અને 67780 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 23081 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા.