સુરત,
આજે હાર્દિક પટેલ દ્વારા જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.જયારે બીજી તરફ ગુજરાતના CM વિજય રૂપાણીએ રોડ શો યોજ્યો છે.
CM વિજય રૂપાણીએ મજુરા વિધાનસભા બેઠક ખાતે રોડશો યોજ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકારો હાજર રહ્યા હતા.CM વિજય રૂપાણીએ જણાવ્યું કે પાટીદારો ભાજપ સાથે છે.
જયારે બીજી તરફ પાસના સહકન્વીનર દિનેશ બભાનીયાએ જણાવ્યુંકે હજુ સુધી ભાજપ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી,PMએ પણ હજુ સુધી કોઈ નિવેદન પણ આપ્યું નથી અને અનામત પ્રશ્ને કોઈ ઉકેલ લાવવા પ્રયાસ થતો નથી, અત્યાર સુધી ભાજપ તરફથી અમને ધમકાવવામાં આવ્યા છે, તેથી અમે ભાજપની સામે મતદાન કરીશું.