આજે જગતના નાથ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે. રથયાત્રામાં શામળિયો સરકાર બસ અમુક કલાકોમાં જ નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળે છે.દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ભગવાનના દર્શન માટે અધીરા બન્યા છે.
Live Update
ઢોલ-નગારાંના તાલે સરસપુરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું
ત્રણેય રથ સરસપુરમાં પહોચ્યા બાદ ઢોલ-નગારાંના તાલે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું છે.ભગવાન જગન્નાથનું મામેરુ ભરવા સરસપુરવાસીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે. આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ જગન્નાથને અર્પણ કરવામાં આવ્યા છે.
ત્રણેય રથ મોસાળ સરસપુર પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને ત્રણેય રથ હાલમાં મોસાળ સરસપુર પહોંચ્યા છે.
પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો છે.
હાલ સરસપુરની તમામ પોળોમાં પ્લોરસાદ મળી રહ્કોયો છે, મોટા પ્રમાણમાં લોકો શાંતિથી તેનો સ્વાદ માણી રહ્યા છે. પ્રસાદમાં પુરી, ફૂલવડી, લાડુ, શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે.અત્યાર સુધીમાં 12 લાખ દર્શનાર્થીઓને ભગવાનના દર્શન કર્યા છે.
ગજરાજ, ભજન મંડળી, અખાજડા પછી હવે પ્રથમ રથ ઢાળની પોળ પહોચ્યો છે. રથયાત્રા અમદાવાદ પોળ તરફ ધીરે ધીરે આગળ વધી રહી છે. પુરીની જેવી જ ઐતિહાસિક યાત્રા અહીં નીકળે છે. ખુબ જ સુંદર રીતે શણગારાયેલા ટ્રકોમાંથી પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અત્યારે સમગ્ર માર્ગનું ગાંધીનગરમાંથી CM ડેશબોર્ડની વિડિયો વોલ પર નિરીક્ષણ કરી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી.
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા… pic.twitter.com/haryxH1h3Q
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 20, 2023
સરસપુરમાં બધી વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અત્યારે ફૂલ બંદોબસ્તમાં છે. લોકો શાંતિ પૂર્વક ભગવાનના દર્શન કરી શકે તે માટે પોલીસ ખડપગે લોકોની સેવામાં છે. કોઈને કઈ પરેશાની ન થાય તેની સપૂર્ણ તકેદારી રખાઈ રહ્યું છે.
જમાલપુરના નીજમંદિરેથી રથયાત્રા નીકળી ધીમે-ધીમે આગળ વધી. નિયત કરેલા રૂટ પરથી રથયાત્રા પસાર થઈને દાણીલીમડા સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી હતી. જ્યાં ત્યાના સત્તાધીશોએ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કર્યું હતું. મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્રાનાથની યાત્રા રાયપુર વિસ્તારમાં પહોચી છે. ભક્તોનું બીપોરજોય દેખાઈ રહ્યું છે. અત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભગવાન જગન્રનાથની રથયાત્રા ના દર્શનાર્થે ભક્તો આવી ચડ્યા છે. ભજનમંડળી સાથે ધામધૂમથી રથયાત્રા નીકળી ગઈ છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે રથયાત્રા માટે સૌને શુભકામનાઓ. ભગવાન જગન્નાથની દિવ્ય મુલાકાત આપણા જીવનને આરોગ્ય, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરી દે કારણ કે આપણે આ શુભ અવસરની ઉજવણી કરીએ છીએ. પ્રધાનમંત્રીએ દરેકને, ખાસ કરીને વિશ્વભરના કચ્છી સમુદાયને ‘આષાઢી બીજ’ના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. રથયાત્રા એ ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલો તહેવાર છે. તે જ દિવસે ઉજવવામાં આવે છે, જે દિવસે ગુજરાતના કચ્છી સમુદાયના લોકો તેમના નવા વર્ષની ઉજવણી કરે છે.
Rath Yatra greetings to everyone. As we celebrate this sacred occasion, may the divine journey of Lord Jagannath fill our lives with health, happiness and spiritual enrichment. pic.twitter.com/ATvXmW3Yr0
— Narendra Modi (@narendramodi) June 20, 2023
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ થવાની હતી. રથયાત્રા દરમ્યાન પહિંદવિધિનું અનેરું મહત્વ છે. આ દરમ્યાન માન્યતા અનુસાર રથયાત્રા નીકળે તે પહેલા રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાની સાફસફાઈ કરે છે, આ વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પૂર્વે આ હક ફક્ત રાજા ને મળતો હતો. અને અત્યારે રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે.
આજની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી મંગળા આરતીમાં હાજર રહ્યા અને આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ કરાઈ. આ સાથે જ રથયાત્રાની શોભા વધારવા રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે, 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો જોડાશે, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા જોડશે.
આ રથયાત્રા માટે પોલીસતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. પોલીસ તંત્રનો રથયાત્રાને લઇને લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પેરામિલીટરી ફોર્સ સાથે પોલીસ તૈનાત રહેશે. કુલ 26091 પોલીસ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે. આટલું જ નહિ 2322 જવાનો બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત છે. યાત્રામાં રહેનારા 25 વાહનો પર CCTV લગાવવામાં આવ્યા છે. GPS સિસ્ટમથી પળેપળની વિગતો મેળવાશે અને આ વર્ષે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રા પર નજર રાખવામાં આવશે. તંત્ર દ્વારા થ્રિડી મેપિંગ તૈયાર કરી લેવામાં આવ્યું છે.
આ વખતે જગતના નાથ પોતાની અલગ સવારી પર સવાર થઇ ને નગરયાત્રા પણ નીકળશે. જી હા 72 વર્ષ બાદ જગતનો નાથ નવા રથમાં બિરાજમાન થશે. અમિત શાહે પ્રભૂની આરતી ઉતારી. CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ કરવામાં આવશે. સવારે 7 વાગ્યે CM પહિંદવિધી કરવાના છે. CM ભૂપેન્દ્ર પટેલ બીજી વાર પહિંદવિધી કરવા જઈ રહ્યા છે. પહિંદવિધી બાદ ભગવાન રથમાં સવાર થશે.
નિજમંદિર જમાલપુરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જમાલપુરથી AMC, AMCથી રાયપુર ચકલા , ત્યારબાદ રાયપુર ચકલાથી ખાડિયા ચાર રસ્તા, ખાડિયા ચાર રસ્તાથી કાલુપુર સર્કલ, કાલપુર સર્કલથી સરસપુર મામાના ઘરે, સરસપુર થી પરત કાલુપુર સર્કલ, કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા, પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા, દિલ્હી દરવાજાથી શાહપુર દરવાજા, શાહપુર દરવાજાથી આર.સી.હાઇસ્કુલ, આર.સી.હાઇસ્કુલથી ઘી કાંટા, ઘી કાંટાથી પાનકોર નાકા, પાનકોર નાકાથી માણેકચોક, માણેક ચોકથી નિજ મંદિર પર થશે રથયાત્રા.