રાજયભરમાં ફિલ્મ પદ્માવતને લઇને ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. વિરોધ થમવાનું નામ નથી લેતો. ત્યારે બનાસકાંઠામાં બસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાંકરેજના ઉણ ગામ પાસેથી પાલનપુર-ભુજની બસ પસાર થતી હતી
આ દરમિયાન તોફાની ત્તત્વોનું ટોળુ એકાએક ધસી આવ્યું હતું અને પથ્થર મારીને બસના કાચ તોડી નાખ્યા હતા. જો કે આ તોફાની ટોળાએ બસ સળગાવાવનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ તોફાની ટોળાના બસ સળગાવવાનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો. પરંતુ આ પથ્થર મારામાં ડ્રાઇવર સહિત 6 લોકોને ઇજા પહોંચી હતી.
બાદમાં ઇજાગ્રસ્ત થયેલા ડ્રાઇવર અને કંડકટર પોલીસ મથકે પહોંચ્યા હતા. અને આ સમગ્ર ઘટના અંગે પોલીસે જાણ કરી હતી. ત્યારે હવે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.