Not Set/ 5000 કરોડની માનહાનિની નોટીસ AAP નેતા સંજય સિંહને અનીલ અંબાણીએ ફટકારી

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ઉદ્યોગપતિ અનિલ અંબાનીએ પાંચ હજાર કરોડ રૂપિયાનો માનહાનિ દાવો કર્યો છે. આ માનહાનિનો દાવો એટલા માટે કરવામાં આવ્યો છે કે અનિલ અંબાણીને રાફેલ ડીલમાં તેમણી બદનામીને લઈને આ નોટિસ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના 10 કરોડની માનહાનીના કેસનો સામનો કરી રહ્યાં છે. ત્યારે […]

India

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ઉદ્યોગપતિ અનિલ અંબાનીએ પાંચ હજાર કરોડ રૂપિયાનો માનહાનિ દાવો કર્યો છે. આ માનહાનિનો દાવો એટલા માટે કરવામાં આવ્યો છે કે અનિલ અંબાણીને રાફેલ ડીલમાં તેમણી બદનામીને લઈને આ નોટિસ આપી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના 10 કરોડની માનહાનીના કેસનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના વધુ નેતા માનહાનીના કેસમાં સપડાઈ ગયા છે. સંજય સિંહે 13 ફેબ્રુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનોને 56000 કરોડ રૂપિયાનો સોદો થયો છે. જેમાં રિલાયન્સ ડિફેંસ લિમીટેડ ફ્રાંસની એવિએશન કંપની ડેસોલ્ટ એવિએશનને 22000 કરોડનો ક્રોન્ટ્રેક મળવાનો આરોપ લગાવ્યો હતો.

માનહાનીમાં સંજય સિંહે વળતો જવાબ આપ્યો હતો હતો અને કહ્યું હતું કે કોઈ અંબાની અથવા અડવાણી આમ આદમીની અવાજ દબાવી શકે તેમ નથી.