સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં મુસાફરો સવાર છકડો પલટ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચોટીલામાં માતાજી દર્શન કરીને મહિલા પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન છકડો પલટ્યો હતો. જેના કારણે મહિલાઓને નાની-મોટી ઇજા પહોંચી હતી.
દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકો છે કે, આ છકડો ઓવરલોડના કારણે પલટ્યો હતો. મહત્વનું છે કે, છકડા ચાલક થોડા વધુ પૈસા મેળવવાની લાલચે મુસાફરોને ઘેટા- બકરા જેમ છકડા ભરીને લઇ જાય છે. જેના કારણે અકસ્માત સર્જાતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે વહેલી તકે આ મામલે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે…