દાહોદ,
દાહોદમાં મધ્યપ્રદેશની બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લીમખેડાના ઢઢેલા નજીક બસ પર મોડી રાત્રે લૂંટારૂઓએ પથ્થરમારો કર્યા હતા.
બસ પર પથ્થરમારામાં 4 થી 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયાં હતા. જેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તમામ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.