મુંબઈ
અભિનેતા મનોજ બાજપાયી ફિલ્મ ‘ગલી ગુલિયા’માં એક માનસિક રૂપથી ક્રેઝી વ્યક્તિની ભૂમિકા કરી રહ્યા છે. પ્રમોશન દરમિયાન મનોજ અને બાકીની ટીમે ફિલ્મ સાથે સંકળાયેલી ઘણી રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો. મનોજે આ ફિલ્મના પ્રમોશન માટે ઘણી તકલીફોનો સામનો કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ પ્રમોશન માટે સવારથી રાત સુધી કામ કરી રહ્યાં છે.
મનોજે કહ્યું હતું કે તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન એક જ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે તેઓ તેમના કિરદાર વિશે જણાવે. મનોજે કહ્યું, “મારા પાત્ર વિશે કેહેતા-કહેતા હવે મને મારા આ પાત્રથી જ નફરત થવા લાગી છે. એવું લાગે છે કે જે ભૂમિકાને આટલી સારી રીતે કર્યા પછી હવે મને તેનાથી નફરત થવા લાગી છે.”
મનોજ બાજપાયીની આ ફિલ્મ સાઇકોલોજિકલ થ્રિલર છે અને આ ફિલ્મમાં સહાન ગોસ્વામી, રણવીર શોરી, નીરજ કવિ અન્ય મહત્વપૂર્ણ પાત્રો ભજવી રહ્યા છે. મનોજની ભૂમિકા એક ઇલેક્ટ્રિશિયનની છે. અગાઉ, 15 ઓગસ્ટના રોજ, મનોજ બાજપાયીની ફિલ્મ ‘સત્યમેવ જયતે’એ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી ચુકી છે.
મનોજે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જ્યારે તમારે કોઈ પણ કિરદારને પોતાનામા ઉતરવું હોય ત્યારે તમારે 24 કલાક સુધી તે ભૂમિકામાં રહેવું પડશે. મનોજે વધુમાં કહ્યું હતું કે, તેમનું પાત્ર માનસિક રીતે ક્રેઝી છે. તો તેમણે તેમના આખા સમયમાં દરમિયાન તે પાત્રમાં રહેવું પડ્યું હતું. એક એવો સમય હતો જ્યારે તેમણે વિચાર્યું કે હવે તે આ પાત્ર કરી શકશે નહીં