મહેસાણા
મહેસાણાના રાજપુર પાસેની ઘટના આવ્યું છે. રાજપુર પાટિયા પાસે 2 વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ .અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.
સિવિલમાં પરિવારના સભ્યો તેમજ રબારી સમાજના લોકો થયા એકઠા થઈ હતા. પોલીસે પકડેલા માણસોને છોડે નહી ત્યાં સુધી લાશ ઉપાડવાનો ઈન્કાર કર્યા હતા.
સિવિલમાં પીએમ રૂમ પાસે સમાજના આગેવાનો એકઠા થયા હતા. આ સમગ્ર મામલે નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણ નંદાસણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ મુતદેહનો કબજો સભાળી લીધો હતો. પોલીસે યુવાનની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી. યુવાનની હત્યાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.