ભરૂચ,
ભરૂચના કસક વિસ્તારમાં સ્વચ્છતા બાબતે દારૂની પોટલીઓ ઉપાડતા-ઉપાડતા મનસુખભાઇ વસાવાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.
વસાવાએ કહ્યુ હતુ કે, પીતા હોઈ તો ભલે પણ વ્યવસ્થિત જગ્યા એ નિખાલસ સ્વાભાવથી વિખ્યાત સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારો વિવાદાસ્પદ નિવેદન આપતા લોકોમાં પણ ચકચાર મચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, કસક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જોડાયા હતા. ત્યારે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.