દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે ૨૬મી જાન્યુઆરીના રોજ યોજાયેલી ટ્રેક્ટર રેલીમાં સામેલ વિરોધીઓના ઇશારાથી કેટલાક ખેડૂતોએ નિર્ધારિત માર્ગને અનુસર્યો ન હતો. જેના કારણે અરાજકતા ફેલાઈ હતી. હવે સંયુક્ત કિસાન મોરચાએ આ મામલે બે ખેડૂત નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
World / મ્યાનમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, 12 લોકોના થયા મોત
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી સરહદ પર ટ્રેકટરો સાથે કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. પરંતુ આ રેલી દરમિયાન હિંસા થઈ હતી રેલીમાં ભાગ લેનારા વિરોધીઓનું એક જૂથ લાલ કિલ્લા પર પહોંચ્યું હતું અને ત્યાં તેમનો ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે તે પહેલા ખેડૂતોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
Sports / સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ની ચૂંટણી શરુ, બંને પેનલો દ્વારા ક્રિકેટના વિકાસ માટે કરાયા છે દાવા
આ અંગે વધુમાં સંયુક્ત કિસાન મોરચાએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ દરમિયાન નિર્ધારિત માર્ગના ભંગ બદલ બે ખેડૂત નેતાઓ આઝાદ કિસાન સમિતિના પ્રમુખ હરપાલ સંઘ અને ભારતીય કિસાન સંઘ ના સુરજીતસિંહને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે જ સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ સભ્યોની કમિટી બનાવી છે જે આ અંગે તપાસ કરશે. હરપાલસિંહે તેમના સસ્પેન્શનની પુષ્ટિ પણ કરી છે.
Greta Thunberg / ગ્રેટાના દસ્તાવેજ પર વિદેશ મંત્રી એસ જયશંકરની આવી પ્રતિક્રિયા, ટુલ કીટ વિશે શું કહ્યું
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…